I am Suresh Patel. I am a primary school teacher. I am educational blogger.I live in khergam navsari district. I share educational information and social information posts.
ડાંગ જિલ્લાનું ગૌરવ : શ્રી અનિલ ધનગર “ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની” માં ફરજ બજાવતા શ્રી અનિલ ધનગરની રીજીયોનલ મેનેજર તરીકે પસંદગી : (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૧૯: મુળ નવસારી જિલ્લાના રહેવાસી અને ભારત સરકારની “ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની” માં ફરજ બજાવતા શ્રી અનિલ કાંતીલાલ ધનગરની, રીજીયોનલ મેનેજર તરીકેના હોદ્દા ઉપર બઢતી થવા પામી છે. શ્રી અનિલ ધનગરનું સમગ્ર પ્રાથમિક શિક્ષણ ડાંગ જિલ્લાનાં અંતરીયાળ ગામોમાં થયુ છે. તેઓના માતાપિતાએ, ડાંગ જિલ્લામાં પ્રાથમિક શિક્ષક તરીકે સેવાઓ આપી છે. જેઓ હાલમાં નવસારી જિલ્લામાં પણ વિદ્યાધામ વિધ્યાલય તેમજ નવસારી હિન્દી સાહિત્ય પરિષદ જેવી સંસ્થાઓમાં સામાજીક શૈક્ષણિક કાર્યો સાથે સંકળાયેલા છે. ડાંગ સાથે નાતો ધરાવતા શ્રી અનિલ ધનગરની ઉચ્ચ કારકિર્દીએ ડાંગ અને નવસારી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. - ડાંગ જિલ્લાનું ગૌરવ : - “ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની” માં ફરજ બજાવતા શ્રી અનિલ ધનગરની રીજીયોનલ મેનેજર તરીકે પસંદગી... Posted by Info Dang GoG on Wednesday, June 19, 2024
આહવા (ડાંગ) : "ઇન્ટરનેશનલ ડે અગેઇન્સ્ટ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઇલીસીટ ટ્રાફીકીંગ" બાબતે ડાંગ પોલીસ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો : (ડાંગ માહિતી બ્યુરો) : આહવા: તા : ૨૮: ડાંગ જિલ્લામાં તા.૧૨ થી ૨૬ જૂન, ૨૦૨૪ દરમિયાન ભારત સરકારના 'નશામુકત ભારત'ની ઉજવણી અંતર્ગત, ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયા તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.જી.પાટીલનાં માર્ગદર્શન મુજબ, SOG ના પી.એસ.આઈ. શ્રી એમ.એસ.રાજપુત તેમજ શાખાના કર્મચારીઓ, અને નશાબંધી સંયોજક શ્રી રાકેશ પવાર દ્વારા, માદક પદાર્થના ઉપયોગ તથા હેરા-ફેરીથી થતી આડઅસરો બાબતે જાગૃતિ કેળવવા ડાંગ જિલ્લાની સ્કુલ, કોલેજોમાં કાર્યક્રમો, ડ્રગ્સ વિરોધી રેલીઓ, જાહેર સભાઓ, વર્કશોપ, સેમીનાર પ્રદર્શન યોજવા ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેના અનુસંધાને તા.૨૬/૬/૨૦૨૪ના રોજ આહવાના ગાંધી ઉદ્યાનથી પોલીસ અધિક્ષકશ્રીની કચેરી સુધી જનજાગૃતિ રેલી યોજી "ઇન્ટરનેશનલ ડે અગેઇન્સ્ટ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઇલીસીટ ટ્રાફીકીંગ" બાબતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ આવતા જતા લોકોમાં જાગૃતિ આવે તે માટે બેનરો તેમજ પેમ્પલેટ મારફતે પ્રચાર કરાયો હતો. આ કાર્યક્રમમાં ...
સ્વયં અને સમાજ માટે યોગઃ વલસાડના અબ્રામા ખાતે યોગ દિન પૂર્વે યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો. સૂક્ષ્મ વ્યાયામ, વિવિધ આસનો અને પ્રાણાયામનો સૌ સાધકોએ અભ્યાસ કરી સ્વસ્થ જીવનનો સંદેશ મેળવ્યો વલસાડ, તા. ૨૦ જૂન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૧૪માં યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે અને વર્ષ ૨૦૧૫ થી આ દિવસ વિશ્વના દેશોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે. જે અંતર્ગત ચાલુ વર્ષ તા. ૨૧ જુન ૨૦૨૪ ના રોજ ૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ પર ઠેર ઠેર થનાર છે ત્યારે યોગ દિનના આગલા દિવસે તા. ૨૦ જૂનના રોજ વલસાડના અબ્રામા મણીબાગ ખાતે રાધા ક્રિષ્ણા મંદિરના હોલમાં રાધા યોગ શાળા, જેસીઆઈ અને વી કલબના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ગાઈડલાઈન મુજબ કોમન યોગા પ્રોટોકોલ અંતર્ગત યોગાભ્યાસનો કાર્યક્રમ યોજાયો હતો. યોગશાળાના સંચાલિકા તેમજ નેશનલ યોગાસનના કોચ અને ઉત્તરાખંડ યોગાસન ગોલ્ડ મેડાલિસ્ટ રાધા પારિતોષ જોશીએ યોગ સાધકોને વિશ્વ યોગ દિવસનું મહત્વ સમજાવી યોગના વિવિધ આસનો અને વિવિધ પ્રાણાયામથી ...
Comments
Post a Comment